Coronavirus
કોરોના એક વાયરસ નહીં પણ બેક્ટેરિયા છે : ઇટલીના ડોકટરો, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
કોવિડ -19 થી થયેલ મોત પર એટોપ્સી કરનારો ઇટાલી વિશ્વનો પહેલો દેશ બન્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે તે કોઈ વાયરસ નથી પરંતુ તે એક બેક્ટેરિયા છે.

ઇટલીના ડોક્ટરોએ કોરોના વાયરસના દર્દીની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરી નવો ઘટસ્ફોટ કર્યો છે, વાયરસના નામે એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ ચલાવાઈ રહ્યું છે. કોરોના એક વાયરસ નથી પરંતુ બેક્ટેરિયા છે, જેનો ઈલાજ ખુબજ સરળ છે. સોશ્યલ મીડિયા પર આ દાવા સાથે બટુક સમાચારનું પેપેર કટિંગ વાયરલ થયેલ છે. વાયરલ તસ્વીરમાં કોરોના વાયરસના ઈલાજ માટે વેન્ટિલેટર્સ અને આઈસીયુની પણ જરૂર નથી, તેમજ ચીન અને WHO દ્વારા આ માહિતી છુપાવવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવાઓ
- ઇટલીના ડોકટરો દ્વારા ડેડબોડીના પોસ્ટમોર્ટમ બાદ જાહેર કર્યું કે કોરોના વાયરસના નામે એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ ચલાવાઈ રહ્યું છે.
- કોવીડ-19 કોઈ વાયરસ નથી પણ એક પ્રકારનો બેક્ટેરિયા છે, જેનો ઈલાજ ખુબજ સરળ છે.
- કોરોના દર્દી માટે ICU અને વેન્ટિલેટર્સની પણ જરૂર નથી
- આ બેક્ટેરિયાનો એસ્પીરીન -100 અને પેરા સીટામોલ જેવી દવાઓ દ્વારા ઉપચાર થઇ શકે છે.
- કોરોના વાયરસનું સંક્ર્મણ 5-G નેટવર્કના કારણે વધુ ફેલાય છે.
Factcheck / Verification
અમે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા દાવાની ખરાઈ કરવા તપાસ શરૂ કરી અને દરેક દાવાને ક્રમિક રીતે શોધવાનું શરૂ કર્યું. જેમાં ઇટાલી, કોવિડ -19થી મૃત્યુ પામેલ ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરનાર વિશ્વનું પ્રથમ દેશ બન્યું છે, જેમાં તપાસમાં બહાર આવ્યું છે કે તે વાયરસ નથી પણ બેક્ટેરિયા છે. જેના કારણે લોહી ગંઠાઈ જાય છે અને દર્દીનું મોત થાય છે. તપાસ દરમિયાન thelancet દ્વારા પ્રકાશિત કરાયેલ રિપોર્ટ જોવા મળે છે, જે મુજબ કોરોના વાયરસમાં શ્વાશ લેવામાં તકલીફ મૃત્યુનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. જયારે કોવિડ -19 વાયરસ નથી અને બેક્ટેરિયા હોવાના મુદ્દે કોઈપણ રિપોર્ટ જોવા મળેલ નથી.
ડબ્લ્યુએચઓનો કાયદો કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપતું નથી. પરંતુ ઇટાલીમાં કોવિડ-19 ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું અને જાણ્યું કે તે વાયરસ નહીં પણ બેક્ટેરિયા છે. આ દાવાની સત્યતા શોધવા માટે, અમે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સત્તાવાર વેબસાઇટ પર જોયું કે WHO દ્વારા આ પ્રકારે કોઈ કાયદો બનાવાયો નથી જે કોરોના વાયરસથી મૃત્યુ પામેલ વ્યક્તિના શરીરના પોસ્ટમોર્ટમ અથવા સંશોધનને અટકાવે છે. વધુ તપાસ પર WHO Mythbusters કે જેમાં કોરોના વાયરસ પર ફેલાયેલા તમામ ભ્રામક દાવાઓ પર ખુલાસો આપવામાં આવેલ છે, જ્યાં વાયરલ દાવો “કોરોના વાયરસ નહીં પરંતુ બેકટેરિયા છે” જેના પર વિડિઓ તેમજ કેટલીક માહિતી દ્વારા સ્પષ્ટતા આપવામાં આવેલ છે.

વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ ત્રીજો દાવો આ બેક્ટેરિયાનો એસ્પીરીન -100 અને પેરા સીટામોલ જેવી દવાઓ દ્વારા ઉપચાર થઇ શકે છે. જે મુદ્દે તપાસ કરતા WHO દ્વારા જ સ્પષ્ટ કરવામાં આવેલ છે, કોઈપણ એન્ટીબાયોટિક્સ હજુ સુધી પ્રમાણિત થયેલ નથી જે કોરોના વાયરસને રોકવા માટે અસરકારક હોય.


જયારે વાયરલ દાવામાં ઇટલીના ડોકટરો દ્વારા આ વાયરસ નહીં પરંતુ બેક્ટેરિયા હોવાના દાવા પર વધુ તપાસ કરતા Reuters ન્યુઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે, જે મુજબ ઇટલીએ કોરોના માટે બનાવેલ વેક્સીન માટે હ્યુમન ટ્રાયલ (માણસ પર પરીક્ષણ) શરૂ કરી દીધું છે. આ પરથી સાબિત થાય છે, ઇટલીના ડોકટરો પણ વેક્સીનની શોધ માટે પ્રયાસ કરી રહ્યા છે, વાયરલ દાવા પ્રમાણે એક બેક્ટેરિયા હોવાનો દાવો ભ્રામક સાબીત થાય છે.

ઉપરાંત કોરોના વાયરસનું સંક્ર્મણ 5-G નેટવર્કના કારણે વધુ ફેલાય છે, આ વાયરલ દાવા પર ગુગલ સર્ચ કરતા WHO અને ET telecom દ્વારા પ્રકાશિત કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. આ વિષય પર International Telecommunications Unionના પ્રવકતા મોનીકા ગહેનર દ્વારા સ્પષ્ટતા આપતા જણાવ્યું કે 5-G નેટવર્ક અને કોરોના વાયરસ વચ્ચે કોઈ સંબંધ નથી, વાયરલ દાવો તદ્દન ભ્રામક છે.
.tmb-479v.png?sfvrsn=a8b9e94_2)

Conclusion
ઇટલીના ડોકટરો દ્વારા ડેડબોડીનું પરીક્ષણ કરવામાં આવ્યું અને કોરોના એક વાયરસ નહીં પરંતુ બેક્ટેરિયા છે, તેમજ કોરોનાનો ઈલાજ ખુબજ સરળ છે અને 5-G નેટવર્કથી કોરોના ફેલાવવાનું જોખમ વધે છે. જેના પર WHO અને અન્ય ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરાયેલ રિપોર્ટ પરથી વાયરલ દાવાઓ તદ્દન ભ્રામક સાબિત થાય છે. ઉપરાંત કોરોનાને લગતી તમામ અન્ય ભ્રામક માહિતી માટે WHO Mythbusters વેબસાઈટ પર સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
WHO
WHOMythbusters
Reuters
Thelancet
Economictimes
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Coronavirus
પુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોના વેક્સીનના પ્લાન્ટમાં આગ લાગી હોવાનો ભ્રામક દાવો વાયરલ
કોરોના વેક્સીન એકદમ સુરક્ષિત છે, આગની ઘટના બીજા એક ડિપાર્ટમેન્ટમાં બનેલ છે,

કોરોના વાયરસ માટે રસીકરણ પ્રકિયા શરૂ થઈ ચુકી છે, ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ઓક્સફર્ડ દ્વારા વેક્સીન બનાવવામાં આવી રહી છે. ત્યારે હાલમાં પુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આગ લગાવાનો બનાવ બન્યો છે. જેમાં 5 લોકોનું મૃત્યુ પણ થયું હોવાની માહિતી પણ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ કોરોના વેક્સીનના પ્લાન્ટમાં લાગેલ છે. જ્યાં કરોડોના વેક્સીન ડોઝ તૈયાર હે તે બિલ્ડીંગમાં આગ લાગી હોવાના દાવા સાથે વિડિઓ અને તસ્વીર શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર “પુણેમાં જ્યાં કોરોના વેક્સિન બને છે તે પ્લાન્ટમાં આગ, અહીં વેક્સિનના કરોડો ડોઝ સ્ટોરમાં છે” કેપશન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગવાની ઘટના પર વાયરલ થયેલ દાવો જેમાં કોવીડ વેક્સીનના ડોઝ જે બિલ્ડીંગમાં છે ત્યાં આગ લાગી હોવાની જાણકારી આપતી પોસ્ટ પર કેટલાક ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા timesofindia અને thelogicalindian દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ આગમાં મૃત્યુ થનાર વ્યક્તિના પરિવારન 25 લાખ સુધી સહાયતા કરવાની જાહેરાત કરવામાં આવી તેમજ જે બિલ્ડીંગમાં આગ લાગી હતી ત્યાં BCG અને ROTAVIRUS ની રસીઓ હાજર હતી. અંદાજે 1000 કરોડનું નુકશાન થયું હોવાની જાણકારી આપવામાં આવી હતી.

જયારે કોરોના વેક્સીનના ડોઝ અને સીરમ ઇન્સ્ટીટયુટમાં લાગેલી આગ મુદ્દે વધુ તપાસ કરતા indianexpress અને ndtv દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જેમાં આગની ઘટના બાદ CM ઉદ્ધવ ઠાકરે પણ ઘટના સ્થળે આવ્યા હતા અને મરનાર 5 લોકો પર શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે લોકોને માહિતી આપી હતી કે આગની ઘટનામાં કોરોના વાયરસની વેક્સીન પર કોઈ નુકશાન થયેલ નથી, વેક્સીનના ડોઝ સુરક્ષિત છે. આગ લાગવાના સમાચાર સાંભળતા અંશે લોકોને વેક્સીન અંગે ચિંત્તા થવા લાગી હતી પરંતુ કોરોના વેક્સીન મેન્યુફેક્ચરિંગ અને સ્ટોરેજ પ્લાન્ટ એકદમ સુરક્ષિત હોવાની માહિતી ઉદ્ધવ ઠાકરેએ આપી હતી.
જયારે વધુ સચોટ માહિતી માટે ટ્વીટર પર અદાર પુનાવાલા જે સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO છે, તેમના દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં તેમેણે વેક્સીન અને આગ અંગે માહિતી આપતા કહ્યું કે ‘હું સરકાર અને લોકો બન્નેને જાણ કરવા મંગુ છું કે આગની ઘટનામાં કોરોના વેક્સીન એકદમ સુરક્ષિત છે.’ આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે દ્વારા ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેવામાં આવી હતી, જે બાદ પુનાવાલાના ટ્વીટમાં કહેવામાં આવ્યું કે કોરોના વેક્સીનના ડોઝનું કામ કાર્યરત,સમયસર અને સુરક્ષિત છે.
Conclusion
પુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લગાવાની ઘટનામાં કોરોના વેક્સીનના ડોઝને નુક્શન થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. આ ઉપરાંત કોરોના વેક્સીન તૈયાર થનાર પ્લાન્ટમાં જ આગ લાગી હોવાની જાણકારી પણ તદ્દન ભ્રામક છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અને મહારાષ્ટ્રના CM દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ કોરોના વેક્સીન એકદમ સુરક્ષિત છે, તેમજ આગની ઘટના બીજા એક ડિપાર્ટમેન્ટમાં બનેલ છે, જ્યાં કોરોના વેક્સીન તૈયાર થતી નથી. જેથી વાયરલ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે.
Result :- False
Our Source
સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO
indianexpress
ndtv
timesofindia
thelogicalindian
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Coronavirus
ભાજપ નેતા રસી લઇ રહ્યાં હોવાનો ખોટો પોઝ આપી ફોટા પડાવી રહ્યા છે, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
માત્ર તસ્વીર માટે આપવામાં આવેલ પોઝને ખોટા અને ભ્રામક દાવા સાથે વાયરલ

રસીકરણની પ્રકિયા 16 જાન્યુઆરીના શરૂ કરવામાં આવી છે. દેશના અલગ અલગ ભાગમાં રસીકરણ પ્રકિયા સૌપ્રથમ હેલ્થ વર્કર સાથે કરવામાં આવી છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ લોકો રસીના નામે મૂર્ખ બનાવી રહ્યા છે. રસી લેતા હોવાનો ડોળ કરી માત્ર ફોટો પડાવી રહ્યા છે. કેટલીક સોશ્યલ મીડિયા પોસ્ટમાં વિડિઓમાં દેખાતી વ્યક્તિ વ્યક્તિ ભાજપ નેતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ફેસબુક પર “આ કઈ રીત નું વેક્સિનેશન? શું રસીકરણ આ રીતે થઇ રહીયુ છે? ફક્ત ફોટો પાડવા માં આવી રહિયા છે?” કેપશન સાથે આ વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
એક વીડિયો જેમાં એક પુરુષ અને એક મહિલા રસીકરણની લેતા જોવા મળે છે. અન્ય કેટલાક યુઝર્સ દ્વારા આ વિડિઓ કર્ણાટકના ટુમકુર હોસ્પિટલના અધિકારીઓ કોવિડ -19 રસી લેવાનો ડોળ કરી માત્ર ફોટો પડાવી રહ્યા છે.
જ્યારે વિડિઓના કેટલાક ભાગોને રિવર્સ ઇમેજ સર્ચ કરતા જાણવા મળે છે કે વિડિઓમાં પોઝ આપનાર ડો.નાગેન્દ્રપ્પા, જિલ્લા આરોગ્ય અધિકારી અને ડો.રાજાણી, આચાર્ય,સરકારી નર્સિંગ કોલેજ છે. જયારે આ મુદ્દે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા prajavani દ્વારા પબ્લિશ કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ 16 જાન્યુઆરીના ડો.નાગેન્દ્રપ્પા પહેલા હેલ્થ ઓફિસર હતા કે જેમણે વેક્સીન ડોઝ લગાવાયો હતો.

આ ઉપરાંત વાયરલ વિડિઓમાં જે મહિલા રસી લેતા જોઈ શકાય છે, તે ડો.રાજાણી છે. જયારે વાયરલ દાવા વિષયે તેમણે સ્પષ્ટતા આપતા વેક્સીનના પ્રથમ ડોઝ માટે કરવામાં આવેલ નોંધણી અને તેનું સર્ટિફિકેટ શેર કરવામાં આવેલ છે. જે મુજબ 16 જાન્યુઆરીના ડો.રાજાણીને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

ન્યુઝ સંસ્થાન thenewsminute દ્વારા વાયરલ પોસ્ટ પર કરવામાં આવેલ ફેક્ટ ચેક મુજબ વીડિયોમાં જોનારા અધિકારીઓએ રસી લીધી હતી. પરંતુ તકનીકી કારણોસર તે દિવસે રસીકરણ પ્રક્રિયા મોડી પડી હતી. એપ્લિકેશનમાં રજિસ્ટર થયેલા ઉમેદવારોને રસીની ફાળવણી કરવામાં આવી હતી અને અધિકારીઓએ જાતે જ કરવું પડ્યું હતું. પરંતુ સત્તાવાર રસીકરણ પ્રક્રિયા શરૂ થાય ત્યાં સુધી મીડિયા રાહ જોઇ શક્યું નહીં. તેથી જ અધિકારીઓએ વેક્સીન લઇ રહ્યા હોવાનો ડોળ કર્યો હતો. જો કે ત્યારબાદ તમામને રસી આપવામાં આવી હતી. જે મામલે સંબંધિત અધિકારીઓને એક રિપોર્ટ પણ સુપરત કરાયો છે.
જયારે વાયરલ વિડિઓ મુદ્દે ડો.નાગેન્દ્રપ્પાએ કહ્યું કે, “ડો.રાજાણી અને મને (ડો.નાગેન્દ્રપ્પા) 16 જાન્યુઆરીએ કોરોના સામે રસી આપવામાં આવી હતી. પરંતુ, અમે મીડિયાની વિનંતી પર માત્ર ફોટો માટે પોઝ આપ્યો હતો કારણ કે તે દિવસે કોઈ ફોટો યોગ્ય રીતે લેવામાં આવ્યો નથી. પરંતુ, કેટલાક લોકોએ આ વિડિઓ ભારામક દાવા સાથે પ્રકાશિત કરી રહ્યા છે.
Conclusion
રસીકરણની પ્રક્રિયામાં ભાજપ નેતા રસી લેવાનું નાટક કરી રહ્યા છે, રસી લગાવવી સલામત નથી. વગેરે દાવાઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ વ્યક્તિઓ કર્ણાટકના સ્વાસ્થ્ય અધિકારી છે. જયારે 16 જાન્યુઆરીના વિડિઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ ડો.નાગેન્દ્રપ્પા અને ડો.રાજાણીને વેક્સીન આપવામાં આવી હતી. જયારે મીડિયા કર્મીઓ દ્વારા કરવામાં આવેલ વિનંતી બાદ આપવામાં આવેલ પોઝ સમયે વિડિઓ બનાવી ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
thenewsminute
prajavani
Tumkur Deputy Commisioner
DHO Tumkur: Doctor Nagendrappa
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Coronavirus
વેક્સીન લીધા બાદ મુરાદાબાદના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાનો ભ્રામક દાવો વાયરલ
વેક્સીનના કારણે મૃત્યુ થયું હોવાનો દાવો ભ્રામક છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વેક્સિનના સમાચારોએ જોર પકડ્યું છે. ભારતમાં અનેક જગ્યાએ વેક્સીન આપવામાં આવી જે બાદ કેટલાક સામાન્ય રિકેશન (આડઅસર) પણ જોવા મળી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર એક એવી માહિતી વાયરલ થઈ રહી જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુરાદાબાદની સરકારી હોસ્પિટલમાં એક વોર્ડ બોયનું કોરોના વેક્સિનને કારણે મોત થયું છે. ફેસબુક પર ગુજરાત મિત્ર એકાઉન્ટ પરથી “કોરોના વેક્સિન લગાવ્યા બાદ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં એક વોર્ડબોયનું મોત” કેપશન સાથે વેબસાઈટ લિંક પણ શેર કરવામાં આવેલ છે.
Fact-check / Verification
કોરોના વેક્સીન લીધા બાદ મુરાદાબાદના એક વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાંના વાયરલ દાવા પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન oneindia, tv9hindi તેમજ aajtak દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ મુરાદાબાદની હોસ્પિટલના વોર્ડબોયનું મોત વેક્સીન નહીં પરંતુ હાર્ટએટેકના કારણે થયું હોવાનું સાબિત થાય છે.

આ મુદ્દે વધુ તપાસ કરતા ANI દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જેમાં ઉત્તરપ્રદેશ સ્વાસ્થ્ય સચિવ અમિત મોહન દ્વારા મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા કહ્યું કે વોર્ડબોયનું મૃત્યુનું કારણ હાર્ટએટેક છે. આ વાતની પુષ્ટિ તેમના બોડીના પોસ્ટમોર્ટમ કર્યા બાદ જાહેર કરવામાં આવેલ છે.
જયારે વાયરલ દાવો જેમાં વેક્સીનના કારણે વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાની વાત ભ્રામક હોવાની માહિતી PIBFactCheck દ્વારા પણ ટ્વીટ મારફતે આપવામાં આવેલ છે.
Conclusion
મુરાદાબાદમાં વેક્સીન લીધા બાદ હોસ્પિટલના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ વોર્ડબોયનું હાર્ટએટેકના કારણે મૃત્યુ થયેલ છે. આ બાબતે આરોગ્ય સચિવ દ્વારા પણ ભ્રામક માહિતી પર સ્પષ્ટતા કરવામાં આવી હતી.
Result :- Misleading
Our Source
oneindia,
tv9hindi
aajtak
ANI
PIB Factcheck
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)